“રૂબેન, તું મારો જયેષ્ઠ પુત્ર છે;
મારા સામર્થ્ય અને મારા પુરુષત્વનું
પ્રથમફળ છે.
સન્માન અને સામર્થ્યમાં તું સર્વોત્તમ છે;
પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી
તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ;
કારણ, તેં તારા પિતાની
ઉપપત્ની સાથે સમાગમ કર્યો,
અને એમ તારા પિતાની પથારીને
કલંક લગાડયું છે.