તેણે યોસેફને આશિષ આપતા કહ્યું,
“જે ઈશ્વરની સમક્ષતામાં મારા
પિતૃઓ અબ્રાહામ
અને ઇસ્હાક ચાલતા હતા,
જે ઈશ્વરે મને આજ સુધી
જીવનભર સંભાળ્યો છે,
જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી
ઉગાર્યો છે,
તે આ છોકરાઓને આશિષ આપો.
વળી, તેઓ મારે નામે તથા
મારા પિતૃઓ અબ્રાહામ અને
ઇસ્હાકને નામે ઓળખાઓ
અને પૃથ્વી પર તેમનો વંશ
પુષ્કળ વૃદ્ધિ પામો.”