નીતિવચનો 3
3
જ્ઞાનપ્રાપ્તિની સાધના
1મારા દીકરા, મારું શિક્ષણ
ભૂલી ન જા;
તારા હ્રદયે મારી આજ્ઞાઓને
સંઘરી રાખવી;
2કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં
વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે;
3કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો
તેઓને તારે ગળે બાંધ;
તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.
4તેથી #લૂ. ૨:૫૨. તું ઈશ્વર તથા માણસની નજરમાં
કૃપા તથા સુકીર્તિ પામશે.
5તારા ખરા હ્રદયથી યહોવા પર
ભરોસો રાખ.
અને તારી પોતાની જ અક્કલ પર
આધાર ન રાખ.
6તારા સર્વ માર્ગોમાં
પ્રભુ [નો અધિકાર] સ્વીકાર,
એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.
7 #
રોમ. ૧૨:૧૬. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા;
યહોવાનો ડર રાખીને
દુષ્ટતાથી દૂર થા;
8તેથી તારું શરીર નીરોગી થશે,
અને તારાં હાડકાં બળવંત રહેશે.
9તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના
પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર;
10એમ [કરવાથી] તારી વખારો
ભરપૂર થશે,
અને તારા દ્રાક્ષાકુંડો
નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
11 #
અયૂ. ૫:૧૭. મારા દીકરા, #હિબ. ૧૨:૫-૬. યહોવાની શિક્ષાને
તુચ્છ ન ગણ;
અને તેમના ઠપકાથી કંટાળી ન જા;
12કેમ કે જેમ #પ્રક. ૩:૧૯. પિતા પોતાના માનીતા
પુત્રને ઠપકો [આપે છે]
તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે
તેને ઠપકો આપે છે.
જ્ઞાનપ્રાપ્તિનો આનંદ
13જે માણસને જ્ઞાન મળે છે,
અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે,
તેને ધન્ય છે.
14કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં,
અને તેનો લાભ ચોખ્ખા સોનાના
લાભ કરતાં શ્રેષ્ઠ છે.
15તે જવાહિર કરતાં મૂલ્યવાન છે;
તારી મનગમતી કોઈ પણ વસ્તુ
તેની બરાબરી કરી શકે નહિ.
16તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે;
તેના ડાબા હાથમાં
દ્રવ્ય તથા માન છે.
17તેના માર્ગે સુખચેન જ છે,
અને તેના બધા રસ્તામાં શાંતિ છે.
18જેઓ તે ગ્રહણ કરે છે
તેઓનું તે જીવનવૃક્ષ છે;
જેઓ તેને પકડી રાખે છે
તે દરેકને ધન્ય છે.
19યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી;
તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં,
20તેની કળાથી ઊંડાણો
ફાડી નાખવામાં આવ્યાં,
અને [આકાશનાં] વાદળાંમાંથી
ઝાકળ ટપકે છે.
21મારા દીકરા, તેઓને તારી આંખો
આગળથી દૂર થવા ન દે;
સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ;
22તો તેઓ તારા આત્માનું જીવન,
તથા તારા ગળાની શોભા થશે.
23ત્યારે તું તારા માર્ગમાં
સહીસલામત ચાલતો થશે,
અને તારો પગ લથડશે નહિ.
24સૂતી વેળાએ તને ડર લાગશે નહિ;
અને તું સૂઈ જશે ત્યારે
તને મીઠી ઊંઘ આવશે.
25જ્યારે અચાનક ભય આવી પડે,
અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે
તું ન ડર.
26કેમ કે યહોવા તારું રક્ષણ કરશે,
અને તારા પગને
સપડાઈ જતો બચાવશે.
27હિત કરવાની શક્તિ
તારા હાથમાં હોય તો
જેને માટે તે ઘટિત હોય
તેનાથી તે પાછું ન રાખ.
28તારી પાસે હોય,
તો તારા પડોશીને એમ ન કહે,
“જા, ને ફરી આવજે,
અને હું તને કાલે આપીશ.”
29તારા પડોશીનું ભૂંડું કરવાનો
પ્રયત્ન ન કર,
કેમ કે તે તારી પડોશમાં
નિર્ભય રહે છે.
30કોઈ માણસે તારું કંઈ નુકસાન
કર્યું ન હોય,
તો વિનાકારણ તેની સાથે
તકરાર ન કર.
31તું જુલમી માણસની અદેખાઈ ન કર,
અને તેનો એક માર્ગ પસંદ ન કર.
32કેમ, કે આડા માણસોથી
યહોવા કંટાળે છે;
પણ પ્રામાણિક લોકો
તેનો મર્મ સમજે છે.
33યહોવાનો શાપ દુષ્ટના
ઘર પર [ઊતરે] છે;
પણ તે સદાચારીઓના રહેઠાણને
આશીર્વાદ આપે છે.
34 #
યાકૂ. ૪:૬; ૧ પિત. ૫:૫. સાચે જ તે તિરસ્કાર કરનારાનો
તિરસ્કાર કરે છે;
પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
35જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે;
પણ મૂર્ખોને બદનામી જ મળશે.
Currently Selected:
નીતિવચનો 3: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.