YouVersion Logo
Search Icon

નીતિવચનો 11

11
1ખોટાં ત્રાજવાં યહોવાને
કંટાળારૂપ છે;
પણ અદલ વજનિયાંથી
તે રાજી થાય છે.
2અહંકાર આવે છે, ત્યારે ફજેતી
પણ આવે છે;
પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.
3પ્રામાણિક માણસોની નેકી
તેઓને દોરશે;
પણ ધુતારાઓ પોતાના કપટથી
નાશ પામશે.
4કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ
આવતું નથી;
પણ નેકી મોતથી ઉગારે છે.
5યથાર્થીની નેકી તેનો માર્ગ
સીધો કરે છે;
પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી
પાયમાલ થશે.
6પ્રામાણિક માણસો
પોતાની નેકીથી બચી જશે;
પણ કપટ કરનારાઓ તેમની પોતાની
જ [યોજનામાં] સપડાઈ જશે.
7દુષ્ટ માણસની અપેક્ષા
તેના મૃત્યુસમયે નાશ પામશે;
અને અન્યાયીની આશા
નાશ પામે છે.
8સદાચારીને સંકટમાંથી છૂટો
કરવામાં આવે છે,
અને તેને સ્થાને દુષ્ટ આવે છે.
9અધર્મી પોતાને મોઢેથી પોતાના
પડોશીનો નાશ કરે છે;
પણ સમજદારીથી સદાચારીનો
બચાવ થશે.
10નેક માણસોની આબાદીમાં નગર
હરખાય છે;
અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે
હર્ષના નાદ સંભળાય છે.
11પ્રામાણિકની આશિષથી નગરની
ઉન્‍નતિ થાય છે;
પણ દુષ્ટના મોઢાથી તો
તે પાયમાલ થાય છે.
12પોતાના પડોશીને તુચ્છ માનનાર
અજ્ઞાન છે;
પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે.
13સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ
છાની વાતોને ઉઘાડી કરે છે;
પણ વિશ્વાસુ મનનો માણસ
એવી વાત છાની રાખે છે.
14જ્યાં આગેવાન અજ્ઞાન હોય,
ત્યાં લોકો [ખાડામાં] પડે છે;
પણ પુષ્કળ સલાહકારો હોય
ત્યાં સલામતી છે.
15પારકાનો જામીન થનારને ખેદ થશે;
પણ જામીનગીરીને ધિક્કારનાર
નિર્ભય છે.
16સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે;
અને જુલમી માણસો દ્રવ્ય સાચવી
રાખે છે.
17દયાળુ માણસ પોતાના આત્માનું
હિત કરે છે;
પણ ઘાતકી માણસ પોતાના દેહને
દુ:ખમાં નાખે છે.
18દુષ્ટની કમાણી ઠગારી છે;
પણ નેકીનું બીજ વાવનારને ખચીત
બદલો [મળે છે].
19જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન
[સંપાદન કરે છે] ;
પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત
[લાવે છે].
20વિપરીત અંત:કરણવાળા
માણસોથી યહોવા કંટાળે છે; પણ
જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે
તેઓ તેને આનંદરૂપ છે.
21ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ
શિક્ષા પામ્યા વગર નહિ રહેશે;
પણ સદાચારીઓના સંતાનનો
બચાવ થશે.
22જેમ ભૂંડના નાકમાં સોનાની
નથણી હોય છે,
તેમ વિવેકહીન સ્‍ત્રીની સુંદરતા છે.
23નેક માણસની ઇચ્છા ફક્ત
શુભ હોય છે;
પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.
24એવા માણસો છે કે જેઓ વેરી
નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે;
વળી એવા પણ છે કે જેઓ ઘટે
તે કરતાં વધારે સંઘરી રાખે છે,
તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં
આવે છે.
25ઉદાર જીભ પુષ્ટ થશે;
અને પાણી પાનાર પોતે પણ પીશે.
26અનાજ સંઘરી રાખનારને લોક
શાપ આપશે;
પણ તે વેચનારના માથા પર
આશીર્વાદ રહેશે.
27ખંતથી હિત શોધનારને [ઇશ્વરની]
કૃપા મળે છે;
પણ જે નુકસાન શોધે છે, તેના પર
તે જ આવી પડશે.
28પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર
પડી જશે;
પણ નેકીવાનો લીલા પાનની
માફક ખીલશે.
29જે પોતાના જ ઘરનાંને દુ:ખ આપે છે,
તેને પવનનો વારસો મળશે;
અને મૂર્ખ માણસ જ્ઞાનીનો
ચાકર થશે.
30નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે;
અને જે જ્ઞાની છે તે [બીજા]
આત્માઓને બચાવે છે.
31 # ૧ પિત. ૪:૧૮. નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે;
તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે]
તે કેટલું બધું [ખાતરીભરેલું છે] !

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 11