YouVersion Logo
Search Icon

નીતિવચનો 12

12
1જે કોઈ માણસ શિખામણ ચાહે
છે તે સમજ ચાહે છે;
પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.
2સારો માણસ યહોવાની કૃપા મેળવશે;
પણ કુયુક્તિખોર માણસને
તે દોષપાત્ર ઠરાવશે.
3માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ;
પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં
આવશે નહિ.
4સદગુણી સ્‍ત્રી પોતાના પતિને
મુગટરૂપ છે;
પણ નિર્લજ્જ કૃત્યો કરનારી
તેનાં હાડકાંને સડારૂપ છે.
5નેકીવાનોના વિચાર વાજબી હોય છે;
પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે.
6દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા
વિષે હોય છે;
પણ પ્રામાણિક માણસોનું મોં
તેમને બચાવશે.
7દુષ્ટો ઊથલી પડે છે, અને હતા ન હતા
થઈ જાય છે;
પણ સદાચારીનું ઘર કાયમ રહેશે.
8માણસ પોતાના જ્ઞાન પ્રમાણે
વખાણ પામશે;
પણ જે ભ્રષ્ટ અંત:કરણનો છે
તે તુચ્છ ગણાશે.
9જેને અન્‍નના સાંસા હોય છતાં
પોતે પોતાને માનવંત માનતો
હોય તેના કરતાં
જે હલકો ગણાતો હોય પણ તેને
ચાકર હોય તો તે‍ શ્રેષ્ઠ છે.
10નેકીવાન માણસ પોતાના પશુના
જીવની દરકાર રાખે છે;
પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.
11પોતાની જમીન ખેડનારને પુષ્કળ
અન્‍ન મળશે;
પણ નકામી વાતોને વળગી રહેનાર
મૂર્ખ છે.
12દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા
ઇચ્છે છે;
પણ સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે.
13દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેમને
પોતાને માટે ફાંદો છે;
પણ સદાચારીઓ સંકટમાંથી
છૂટા થશે.
14માણસ પોતાના મુખના શબ્દોથી
સંતોષ પામશે.
અને માણસના હાથોના કામનું ફળ
તેને પાછું આપવામાં આવશે.
15મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં
ખરો છે;
પણ જ્ઞાની માણસ સારી સલાહ પર
લક્ષ આપે છે.
16મૂર્ખનો ક્રોધ તરત
માલૂમ પડી આવે છે;
પણ ડાહ્યો માણસ બદનામીને ઢાંકે છે.
17સત્ય ઊચરનાર નેકી પ્રગટ કરે છે;
પણ જૂઠો સાક્ષી ઠગાઈ
[પ્રગટ કરે છે]
18વગર વિચાર્યું બોલવું તરવારના ઘા
જેવું છે;
પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.
19સત્યનો હોઠ સદા ટકશે;
પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે.
20જેઓ ભૂંડી યોજના કરે છે તેમનાં મન
કપટી છે;
પણ શાંતિના બોધકોને આનંદ છે.
21સદાચારીને કંઈ નુકસાન થશે નહિ;
પણ દુષ્ટો હાનિથી ભરપૂર થશે.
22જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે;
પણ સત્યથી વર્તનારાઓ
તેને આનંદરૂપ છે.
23ડાહ્યો પુરુષ [પોતાના] ડહાપણને
ઢાંકી રાખે છે;
પણ મૂર્ખોનું અંત:કરણ [પોતાની]
મૂર્ખાઈ જાહેર કરે છે.
24ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે;
પણ આળસુ માણસની પાસે વેઠ
કરાવવામાં આવશે.
25પોતાના મનની ચિંતા માણસને વાંકો
વાળી દે છે;
પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.
26નેકીવાન પોતાના પડોશીને સીધે માર્ગે
ચલાવે છે;
પણ દુષ્ટોનો માર્ગ તેઓને ભૂલમાં
નાખે છે.
27આળસુ માણસ પોતે પકડેલો શિકાર
રાંધતો નથી;
પણ ઉદ્યોગી થવું એ મૂલ્યવાન સંપત્તિ
મેળવવા જેવું છે.
28નેકીના માર્ગમાં જીવન છે;
અને તેમાં મરણ છે જ નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 12