નીતિવચનો 10
10
સુલેમાનનાં નીતિવચનો
1જ્ઞાની દીકરો પોતાના
પિતાને હર્ષ ઉપજાવે છે;
પણ મૂર્ખ દીકરો પોતાની માને
ભારરૂપ છે.
2દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી;
પણ નેકી મોતથી ઉગારે છે.
3સદાચારીના આત્માને યહોવા
ભૂખે મરવા દેશે નહિ;
પણ દુષ્ટની ઇચ્છાને
તે નિષ્ફળ કરે છે.
4ગાફેલ હાથથી કામ કરનાર
દરિદ્રી થાય છે;
પણ ઉદ્યોગીનો હાથ તેને
ધનવાન બનાવે છે.
5ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે;
પણ કાપણીની મોસમમાં સૂઈ
રહેનારો દીકરો બદનામી કરાવે છે.
6સદાચારીને માથે આશીર્વાદ ઊતરે છે;
પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી
ઢંકાયેલું છે.
7ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે;
પણ દુષ્ટોનું નામ તો સડી જશે.
8જ્ઞાની હ્રદયવાળો આજ્ઞાઓનો
સ્વીકાર કરશે;
પણ બકબકાટ કરનારો
મૂર્ખ પાયમાલ થશે.
9પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ
પગલે ચાલે છે;
પણ અવળે રસ્તે ચાલનાર તો
જણાઈ આવશે.
10આંખથી મીંચકારા કરનાર
ખેદ કરાવે છે;
પણ બકબકાટ કરનારો મૂર્ખ
પાયમાલ થશે.
11સદાચારીનું મોં જીવનનો ઝરો છે;
પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી
ઢંકાયેલું રહે છે.
12દ્વેષથી ઝઘડા ઊભા થાય છે;
પણ #યાકૂ. ૫:૨૦; ૧ પિત. ૪:૮. પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13વિવેકબુદ્ધિવાળાના હોઠો પર જ્ઞાન
માલૂમ પડે છે;
પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે.
14જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે;
પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે.
15દ્રવ્યવાન માણસનું ધન એ
તેનું કિલ્લેબંધીવાળું નગર છે;
પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે.
16સદાચારીની મહેનત જીવનસાધક છે;
દુષ્ટની પેદાશ પાપકારક છે.
17શિખામણને સ્વીકારનાર જીવનના
માર્ગમાં છે;
પણ ઠપકાનો ત્યાગ કરનાર
ભૂલ કરે છે.
18જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે;
અને ચાડી કરનાર મૂર્ખ છે.
19ઘણું બોલવામાં દોષની અછત
હોતી નથી;
પણ પોતાના હોઠો પર દાબ
રાખનાર ડહાપણ કરે છે.
20સદાચારીની જીભ ચોખ્ખી
ચાંદી જેવી છે;
પણ દુષ્ટના હ્રદયની કિંમત
કોડીનીયે નથી,
21નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે;
પણ મૂર્ખો બુદ્ધિની અછતથી
માર્યા જાય છે.
22યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે.
અને તેની સાથે કંઈ ખેદ
મિશ્રિત નથી.
23દુષ્ટતા કરવી એ મૂર્ખને તો
રમત જેવું છે;
પણ સમજણો માણસ જ્ઞાનથી
[આનંદ મેળવે] છે.
24દુષ્ટનું ભય તેના પોતાના ઉપર
આવી પડશે;
પણ નેક માણસની ઇચ્છા તૃપ્ત
કરવામાં આવશે.
25વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને
માટે લોપ થઈ જાય છે;
પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર
પાયારૂપ છે.
26જેમ દાંતને સરકો, અને આંખોને
ધુમાડો [હેરાન કરે છે] ,
તેમ આળસુ પોતાને [કામ પર]
મોકલનારને [હેરાન કરે છે].
27યહોવાનું ભય આયુષ્ય વધારે છે;
પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં
કરવામાં આવશે.
28સદાચારીઓની આશાનું
પરિણામ આનંદ છે;
પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.
29યહોવાનો માર્ગ પ્રામાણિકોને
કિલ્લારૂપ છે;
પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે.
30સદાચારીઓને કદી ખસેડવામાં
આવશે નહિ;
પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
31સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે;
પણ હઠીલી જીભ કાપી
નાખવામાં આવશે.
32સંતોષકારક શું છે તે સદાચારીના
હોઠ જાણે છે;
પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે.
Currently Selected:
નીતિવચનો 10: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.