નીતિવચનો 1
1
1ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર
#
૧ રા. ૪:૩૨. સુલેમાનનાં નીતિવચનો:
2જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય;
ડહાપણની વાતો સમજવામાં આવે;
3ડહાપણભરેલી વર્તણૂકની,
નેકીની, ન્યાયીપણાની અને
ઇનસાફની કેળવણી મળે;
4ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને
વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે;
5જ્ઞાની પુરુષ સાંભળીને
વિદ્વત્તાની વૃદ્ધિ કરે;
અને બુદ્ધિમાન માણસને
ખરું ડહાપણ મળે;
6કહાણીઓ તથા અલંકાર;
જ્ઞાનીઓનાં વચનો તથા
તેઓનાં માર્મિક સૂત્રો સમજાય
[એ માટે એ છે].
ખોટી સોબત સામે ચેતવણી
7 #
અયૂ. ૨૮:૨૮; ગી.શા. ૧૧૧:૧૦; નીતિ. ૯:૧૦. યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે;
મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને
તુચ્છ ગણે છે.
8મારા દીકરા, તારા પિતાની
શિખામણ સાંભળ,
અને તારી માનું શિક્ષણ તજીશ નહિ.
9કેમ કે તે તારે માથે
શોભાયમાન મુગટરૂપ,
તથા તારા ગળાના હારરૂપ થશે.
10મારા દીકરા, જો પાપીઓ
તને લલચાવે,
તો તું તેમનું માનતો નહિ.
11જો તેઓ તને કહે ‘અમારી સાથે ચાલ,
આપણે ખૂન કરવા માટે લાગ તાકીને
સંતાઈ રહીએ;
આપણે નિર્દોષને વિનાકારણ
[રંજાડવાને] છુપાઈ રહીએ.
12શેઓલની જેમ આપણે તેઓને
જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ,
જાણે કે તેઓ કબરમાં
ગરક થઈ ગયા હોય!
13આપણને [તેમનો] સર્વ જાતનો
મૂલ્યવાન માલ મળશે,
આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું;
14માટે તું અમારો ભાગીદાર થા.
આપણે બધા સિલકની સહિયારી
થેલી રાખીશું’
15મારા દીકરા, માર્ગમાં
તેઓની સાથે ન ચાલ;
તેમને રસ્તેથી તારા પગ પાછા રાખ;
16કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા]
માટે દોડે છે,
તેઓ લોહી વહેવડાવવા માટે
ઉતાવળ કરે છે.
17કેમ કે કોઈ પક્ષીના દેખતાં
જાળ પાથરવી તે વ્યર્થ છે.
18તેઓ પોતાના જ લોહીને માટે
સંતાઈ રહે છે,
તેઓ પોતાના જ જીવને માટે
ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
19દરેક દ્રવ્યલોભી માણસના
માર્ગ એવા છે;
આવું [દ્રવ્ય] તેના માલિકોનું
સત્યાનાશ વાળે છે.
જ્ઞાનવાણીનો પોકાર
20 #
નીતિ. ૮:૧-૩. જ્ઞાન ગલીએ ગલીએ મોટેથી
પોકારે છે;
તે ચૌટામાં પોતાની વાણી ઉચ્ચારે છે;
21તે સરિયામ રસ્તા પર બૂમ પાડે છે;
દરવાજાના નાકા આગળ,
નગરમાં [સર્વત્ર] તે પોતાનાં
વચનો ઉચ્ચારે છે:
22“હે બેવકૂફો, તમે ક્યાં સુધી બેવકૂફીને
વળગી રહેશો?
તિરસ્કાર કરનારા ક્યાં સુધી
તિરસ્કાર કરવામાં આનંદ માનશે?
અને મૂર્ખો જ્ઞાનને ધિક્કારશે?
23મારા ઠપકાથી તમે પાછા ફરો;
હું તમારા પર મારો આત્મા રેડીશ,
હું મારાં વચનો તમને પ્રગટ કરીશ.
24મેં બોલાવ્યા છે, પણ તમે ઇનકાર કર્યો;
મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ
કોઈએ તેની દરકાર કરી નથી;
25પરંતુ તમે મારી સર્વ શિખામણને
તુચ્છ ગણી છે,
અને મારા ઠપકાને બિલકુલ
ગણકારતા નથી;
26માટે હું પણ તમારી વિપત્તિને વખતે
હાસ્ય કરીશ;
જ્યારે તમારા પર ભય આવશે,
ત્યારે હું તમારી મશ્કરી કરીશ;
27એટલે જ્યારે તોફાનની જેમ
તમારા પર ભય આવી પડશે,
અને વંટોળિયાની જેમ તમારી ઉપર
વિપત્તિ ધસી આવશે;
જ્યારે સંકટ અને વેદના
તમારા પર આવશે, ત્યારે
[હું તમારી મશ્કરી કરીશ].
28તે વખતે તેઓ મને હાંક મારશે,
પણ હું ઉત્તર આપીશ નહિ;
તેઓ ખંતથી મને શોધશે,
પણ હું તેઓને મળીશ નહિ.
29કેમ કે તેઓએ જ્ઞાનનો ધિક્કાર કર્યો,
અને તેઓએ યહોવાનું ભય
પસંદ કર્યું નહિ;
30તેઓએ મારો બોધ બિલકુલ
ચાહ્યો નહિ;
તેઓએ મારો બધો
ઠપકો તુચ્છ ગણ્યો;
31માટે તેઓ પોતાના માર્ગનું
ફળ ચાખશે,
અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો
પેટભરીને અનુભવ કરશે.
32કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું
તેઓનો સંહાર કરશે,
અને મૂર્ખોની બેદરકારી
તેઓનો વિનાશ કરશે.
33પણ જે કોઈ મારું સાંભળશે
તે સહીસલામત રહેશે,
અને નુકસાન થવાના ભય વગર
શાંતિમાં રહેશે.”
Currently Selected:
નીતિવચનો 1: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.