YouVersion Logo
Search Icon

ઓબાદ્યા 1

1
ઓબાદ્યાનું સંદર્શન
1પ્રભુ યહોવા #યશા. ૩૪:૫-૧૭; ૬૩:૧-૬; યર્મિ. ૪૯:૭-૨૨; હઝ. ૨૫:૧૨-૧૪; ૩૫:૧-૧૫; આમો. ૧:૧૧-૧૨; માલ. ૧:૨-૫. અદોમ વિષે આમ
કહે છે: પ્રભુ અદોમને શિક્ષા કરશે
યહોવા તરફથી અમને ખબર
મળી છે: “તમે ઊઠો. ને
આપણે અદોમની વિરુદ્ધ
યુદ્ધ કરવાને સજ્જ થઈએ,
એવું કહેવાને એક એલચીને
પ્રજાઓની પાસે
મોકલવામાં આવ્યો છે.
2જો, મેં તને પ્રજાઓમાં છેક
નાનો બનાવ્યો છે;
તને તદ્દન તુચ્છ ગણવામાં આવે છે.
3હે ખડકોની ખોમાં રહેનાર તથા
ઊંચે વાસો કરનાર,
તારા અંત:કરણના અભિમાને
તને ઠગ્યો છે.
તું તારા મનમાં એમ માને છે,
‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”
4યહોવા કહે છે,
“જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢે,
ને જો કે તારો માળો
તારાઓમાં બાંધેલો હોય,
તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.
5જો ચોરો કે રાતે લૂટારાઓ
તારી પાસે આવે,
(અરે, તું કેવો નષ્ટ થયો છે!)
તો તેઓનું મન માને તેટલું
તેઓ લઈ નહિ જાય?
જો દ્રાક્ષા વીણનારા તારી પાસે આવે
તો તેઓ કેટલીક ફાલતુ
દ્રાક્ષા પડતી નહિ મૂકે?
6એસાવ [ની વાતો] કેવી
શોધી કાઢવામાં આવી છે!
તેના સંતાડેલા ખજાના કેવા ખોળી
કાઢવામાં આવ્યા છે!
7તારી સાથે સંપ કરનારા સર્વ માણસોએ
તને માર્ગ પર,
હા, છેક સરહદ સુધી
હાંકી કાઢ્યો છે.
જે માણસો તારી સાથે
સલાહસંપમાં રહેતા હતા
તેઓએ તને ઠગીને
તારા ઉપર જીત મેળવી છે.
તારી રોટલી [ખાનારાઓ]
તારી નીચે ફાંસલો માંડે છે,
[તને] તેની સમજ પડતી નથી.”
8યહોવા કહે છે, “શું હું તે દિવસે
અદોમમાંથી જ્ઞાની પુરુષોનો,
ને એસાવના પર્વત પરથી બુદ્ધિનો
નાશ નહિ કરીશ?
9અને, હે તેમાન, તારા યોદ્ધાઓ
ગભરાઈ જશે,
જેથી એસાવના પર્વત પરથી
પ્રત્યેક જનની કતલ થઈને
સર્વનો સંહાર થાય.
અદોમને શિક્ષાનાં કારણો
10તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને
લીધે તું લજ્જિત થશે,
ને તું સદાને માટે નષ્ટ થશે.
11જે દિવસે પરદેશીઓ
તેની સંપત લઈ ગયા,
ને બીજા દેશના લોકો
તેના દરવાજાઓની
અંદર પેસી ગયા,
ને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી,
તે દિવસે તું આઘો ઊભો રહ્યો,
હા, તું જાણે તેઓમાંનો જ એક હોય
તેમ [તેં કર્યું.]
12પણ તારા ભાઈના સંકટ સમયે
તેના હાલ તું જોઈ ન રહે,
ને યહૂદાના વંશજોના વિનાશને સમયે
તું તેમને જોઈને ખુશી ન થા;
અને સંકટને સમયે
અભિમાનથી ન બોલ.
13મારા લોકોની આપત્તિને દિવસે
તેઓના દરવાજામાં ન પેસ;
હા, તેઓની આપત્તિને દિવસે
તેઓની વિપત્તિ ન નિહાળ,
ને તેમની આપત્તિને દિવસે
તેમની સંપત્તિ પર [હાથ] ન નાખ.
14તેના લોકોમાંથી નાસી છૂટતા હોય
તેમને કાપી નાખવાને તું માર્ગમાં
આડો ઊભો ન રહે.
અને તેના લોકોમાંના
જેઓ બચી રહેલા હોય
તમને સંકટ સમયે
[શત્રુઓના હાથમાં] સોંપી ન દે.
ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે
15કેમ કે સર્વ પ્રજાઓ પર
યહોવાનો દિવસ પાસે છે.
જેવું તેં [બીજાઓને] કર્યું છે,
તેવું જ તને કરવામાં આવશે;
તારી કરણીનું ફળ
તારે ભોગવવું પડશે.
16કેમ કે જેમ તમે મારા પવિત્ર પર્વત પર
પીધું છે,
તેમ જ સર્વ પ્રજાઓ નિત્ય પીશે,
હા, તેઓ પીશે, ગળી જશે,
ને હતાનહોતા થઈ જશે.
ઇઝરાયલનો વિજય
17પણ સિયોન પર્વત પર બચી રહેલાઓ
હશે, ને તે પવિત્ર થશે;
અને યાકૂબના વંશજો પોતાના
વતનો ભોગવશે.
18યાકૂબના વંશજો અગ્નિરૂપ,
ને યૂસફના વંશજો ભડકારૂપ થશે,
ને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે,
ને તેઓ આગ લગાડીને
તેને ભસ્મ કરશે;
અને એસાવના વંશજોમાંનું
કોઈ [માણસ] જીવતું રહેશે નહિ.”
કેમ કે યહોવા એ બોલ્યા છે.
19“દક્ષિણના લોકો
એસાવના પર્વતનો કબજો,
ને નીચાણના પ્રદેશના લોકો
પલિસ્તીઓનો કબજો લેશે;
અને તેઓ એફ્રાઈમની ભૂમિનો તથા
સમરુનની ભૂમિનો કબજો લેશે;
અને બિન્યામીન ગિલ્યાદ
[નો કબજો લેશે].
20બંદીવાસમાં ગયેલાં ઇઝરાયલીઓનું
આ સૈન્ય, જે કનાનીઓ [માં] છે
તે છેક સારફત સુધી [નો કબજો લેશે] ;
અને યરુશાલેમના બંદીવાસમાં
ગયેલા લોકો જે સફારાદમાં છે,
તેઓ દક્ષિણનાં નગરોનો કબજો લેશે.
21એસાવના પર્વતનો ન્યાય કરવાને
ઉદ્ધારકો સિયોન પર્વત પર
ચઢી આવશે.
અને રાજ્ય યહોવાનું થશે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in