પ્રેરિતોનાં કૃત્યો 9
9
શાઉલનું બદલાણ
(પ્રે.કૃ. ૨૨:૬-૧૬; ૨૬:૧૨-૧૮)
1પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને 2તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.
3તે ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. 4તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”
5ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે; 6પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”
7તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ. 8પછી શાઉલ જમીન પરથી ઊઠ્યો, તેની આંખો ઊઘડી ત્યારે તે કંઈ જોઈ શક્યો નહિ, એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા. 9ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
10હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું, “અનાન્યા, ત્યારે તેણે કહ્યું, “પ્રભુ, હું આ રહ્યો.”
11ત્યારે પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે. 12તેણે [દર્શનમાં] જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.”
13પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે. 14અને જેઓ તમારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા માટે મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.”
15પણ પ્રભુએ તેને કહ્યું, “તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે. 16કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.”
17ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.” 18ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કંઈ ખરી પડયું, એટલે તે દેખતો થયો; અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો. 19તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી.
દમસ્કસમાં શાઉલનો પ્રચાર
પછી તે દમસ્કસમાં શિષ્યોની સાથે કેટલાક દિવસ રહ્યો. 20તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, “તે ઈશ્વરના દીકરા છે.”
21જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા, “જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરુશાલેમમાં ઘાણ વાળ્યો, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે, તે શું એ નથી?”
22પણ શાઉલમાં વિશેષ બળ આવતું ગયું, અને [ઈસુ] તે જ ખ્રિસ્ત છે એનાં પ્રમાણો આપીને તેણે દમસ્કસમાં રહેનારા યહૂદીઓને ગૂંચવી નાખ્યા.
23 #
૨ કોરીં. ૧૧:૩૨-૩૩. ઘણા દિવસ વીત્યા પછી યહૂદીઓએ તેને મારી નાખવાની મસલત કરી. 24પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા માટે રાતદિવસ દરવાજાઓની પણ ચોકી કરી; 25પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં [બેસાડીને] કોટ ઉપરથી ઉતારી મૂક્યો.
શાઉલ યરુશાલેમમાં
26તેણે યરુશાલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાને કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા. 27પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી ગયો, અને તેણે માર્ગમાં કેવી રીતે પ્રભુને જોયા હતા, અને કેવી રીતે તે તેની સાથે બોલ્યા હતા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો હતો, એ તેણે તેઓને કહી બતાવ્યું. 28ત્યાર પછી યરુશાલેમમાં તેઓની સાથે તે આવજા કરતો રહ્યો. 29તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાનો લાગ શોધતા હતા. 30જયારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
31ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.
પિતર લુદા અને જોપ્પામાં
32પિતર બધે ફરતો ફરતો લુદા રહેનારા સંતોની પાસે પણ આવ્યો. 33ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો, તે પક્ષઘાતી હતો, અને આઠ વરસથી ખાટલે પડેલો હતો. 34પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, અને તારું બિછાનું ઊંચકી લે;” એટલે તે તરત ઊઠ્યો. 35[ત્યારે] લુદા તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
36હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી. 37તે સમયે તે માંદી પડીને ગુજરી ગઈ. અને તેઓએ તેને નવડાવીને મેડી પર સુવાડી. 38હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.” 39ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર લઈ ગયા. બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રુદન કરતી હતી, અને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે પહેરણ તથા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેઓ તેને બતાવતી હતી. 40પણ પિતરે તે સર્વને બહાર કાઢીને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ.” ત્યારે તેણે પોતાની આંખો ઉઘાડી અને પિતરને જોઈને તે બેઠી થઈ. 41પછી તેણે તેને હાથ આપીને ઉઠાડી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી બતાવી. 42આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. 43પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં [પિતર] ઘણા દિવસો સુધી રહ્યો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 9: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.