પ્રભુ યહોવાનો આત્મા મારા
પર છે; કારણ કે દીનોને
વધામણી કહેવા માટે યહોવાએ મને
અભિષિક્ત કર્યો છે;
ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા
માટે,
બંદીવાનોને છુટકારાની તથા
કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર
પ્રસિદ્ધ કરવા માટે;
યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ,
આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ
પ્રસિદ્ધ કરવા માટે;
સર્વ શોક કરનારાઓને દિલાસો
આપવા માટે;
સિયોનમાંના શોક કરનારાઓને
રાખને બદલે મુગટ,
શોકને બદલે હર્ષનું તેલ,
ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર
આપવા માટે તેણે મને મોકલ્યો છે;
જેથી તેઓ તેના મહિમાને અર્થે
ધાર્મિકતાનાં વૃક્ષ,
યહોવાની રોપણી કહેવાય.