YouVersion Logo
Search Icon

યશાયા 39

39
બાબિલના રાજાનું એલચીમંડળ
(૨ રા. ૨૦:૧૨-૧૯)
1તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્ર લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડયો હતો, પણ હવે સાજો થયો છે. 2હિઝકિયા તેને લીધે ખુશ થયો, ને તેણે પોતાનો ભંડાર, એટલે સોનું રૂપું, સુગંધીદ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શાસ્ત્રગૃહ, તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે તેણે તેમને બતાવ્યું નહિ હોય. 3ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછયું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?”
હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.” 4ફરી યશાયાએ પૂછયું, “તેઓએ તમારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે; મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.”
5ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના [ઈશ્વર] યોવાનું વચન સાંભળો. 6એવા દિવસો આવે છે કે જ્યારે તમારા મહેલમાં જે સર્વ છે તે, તથા તમારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાએ કહ્યું છે. 7#દા. ૧:૧-૭; ૨ રા. ૨૪:૧૦-૧૬; ૨ કાળ. ૩૬:૧૦. તમારા દીકરાઓ કે જે તમારાથી ઉત્પન્ન થશે, જેઓને તમે જન્મ આપશો, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં ખોજા થશે.” 8ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાની જે વાત તમે બોલ્યા છો, તે સારી છે.” વળી હિઝકિયાએ કહ્યું, “મારા દિવસોમાં તો શાંતિ તથા સલામતી થશે.”

Currently Selected:

યશાયા 39: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in